સુરત: વતન નહીં જવા દેતા ઉશ્કેરાયેલા શ્રમિકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસ સામે લડવા માટે સાવચેતીના ભાગ રૂપે 21 દિવસનું લોકડાઉનની જાહેરાત કરી હતી. જેના પગેલ રૂપે ઉદ્યોગ ધંધા બંધ થયા છે. જેની મોટી અસર કાગીગરો અને મજૂરોને પડી છે. લોકડાઉનની શરૂઆતમાં જ હજારો મજૂરો અને કારીગરો ચાલતા પોતાના વતન પહોંચ્યા હતા. તંત્ર વધારે કડક બનતા મજૂરો જેતે જગ્યાએ રહ્યા છે. લોકડાઉનના
 
સુરત: વતન નહીં જવા દેતા ઉશ્કેરાયેલા શ્રમિકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસ સામે લડવા માટે સાવચેતીના ભાગ રૂપે 21 દિવસનું લોકડાઉનની જાહેરાત કરી હતી. જેના પગેલ રૂપે ઉદ્યોગ ધંધા બંધ થયા છે. જેની મોટી અસર કાગીગરો અને મજૂરોને પડી છે. લોકડાઉનની શરૂઆતમાં જ હજારો મજૂરો અને કારીગરો ચાલતા પોતાના વતન પહોંચ્યા હતા. તંત્ર વધારે કડક બનતા મજૂરો જેતે જગ્યાએ રહ્યા છે. લોકડાઉનના સમયે સુરતમાં રહેતા હજારો ઓડિસાવાસીઓએ વતન પાછા ન જવા દેતા ઉશ્કેરાઈને શુક્રવારે રાત્રે હંગામો મચાવ્યો હતો. સાથે સાથે મોટી સંખ્યામાં રોડ ઉપર ઉતરીને પોલીસ ઉપર પથ્થરમારો પણ કર્યો હતો. આ ઉપરાંત વતન પાછા જવાનો પણ પ્રયાશ કરી રહ્યા છે. પોલીસે અનેક લોકોની અટકાયત કરી હતી.

 

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના સરથાણા વિસ્તારમાં હજારો ઓડિસાવાસીઓ રહે છે. મોટાભાગના લોકો લૂમ્સમાં કામ કરતા હતા. જોકે, લોકડાઉનના કારણે તેઓ બેરોજગાર થતાં સુરતમાં રહેવા માટે તકલીફ પડી રહી છે. જેના પગલે આ વિસ્તારમાં રહેલા હજારો લોકો રસ્તા ઉપર ઉતરી ગયા હતા. અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ વધારે થતાં આ લોકોએ પોલીસ ઉપર પથ્થર મારો પણ કર્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, 40,000 કરતા વધુ લોકો આ વિસ્તારમાં રહે છે અને આ લોકો પોતાના વતન પાછા જવા માટે પણ પ્રયત્નો કરી રહ્યા છે. પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયત્નો કર્યો હતો. પોલીસે અનેક લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી. કોરોના વાયરસ સામે લડવા માટે તંત્ર દિવસ રાત એક કરે છે ત્યારે આટલી મોટી સંખ્યામાં લોકો રોડ ઉપર ઉતરે ત્યારે કોરોના વાયરસનો ફેલાવાનો ખતરો વધી જાય છે.