દુર્ઘટના@અમરેલીઃ 7 લોકો બળદગાડા સાથે તણાયા, 4ના મોત, 3નો બચાવ

અટલ સમાચાર, ડેસ્ક અમરેલી જીલ્લાના બગસરાના હામાપુરમાં બળદ ગાડા સાથે 7 લોકો પાણીના પ્રવાહમાં તણાયા હતા. જેમાં 4 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 3 લોકોનો આબાદ બચાવ થયો છે. આ દુર્ઘટનામાં બે મહિલા અને બે બાળકોના મોત થયા છે. મૃતકોની લાશ ખીજડિયા ગામ નજીકથી મળી આવી હતી. ખેતરેથી ગાડામાં ઘરે પરત ફરી રહ્યાં હતા ત્યારે
 
દુર્ઘટના@અમરેલીઃ 7 લોકો બળદગાડા સાથે તણાયા, 4ના મોત, 3નો બચાવ

અટલ સમાચાર, ડેસ્ક

અમરેલી જીલ્લાના બગસરાના હામાપુરમાં બળદ ગાડા સાથે 7 લોકો પાણીના પ્રવાહમાં તણાયા હતા. જેમાં 4 લોકોના  મોત નિપજ્યા છે જ્યારે 3 લોકોનો આબાદ બચાવ થયો છે. આ દુર્ઘટનામાં બે મહિલા અને બે બાળકોના મોત થયા છે. મૃતકોની લાશ ખીજડિયા ગામ નજીકથી મળી આવી હતી. ખેતરેથી ગાડામાં ઘરે પરત ફરી રહ્યાં હતા ત્યારે આ આ દુર્ઘટના સર્જાય હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મળતી માહીતી મુજબ બગસરા પંથકમાં વરસાદને કારણે નદી અને વોડકાઓમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયા હતા. બગસરાના હામાપુર ગામે પૂરના પાણીમાં 7 લોકો બળદગાડા સાથે તણાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં 4 લોકોના મોત નિપજ્યા અને 3 લોકોના આબાદ બચાવ થયા છે. તો એક બળદનું પણ મોત થયું છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ચારેય મૃતદેહ ખીજડીયા ગામ નજીકથી મળી આવ્યા હતા.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પરિવારના સાત લોકો વાડીએથી બળદગાડામાં ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે વોકડામાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતા 7 લોકો સાથે બળદગાડું પણ તણાયું હતું. હાલ પોલીસે મૃતદેહના પોસ્ટમોર્ટમ કરીને આગળ તપાસ હાથ ધરી છે.