સુરતઃ કારખાનામાં ભયાનક આગ લાગતાં 2 કર્મચારીઓના કરૂણ મોત

અટલ સમાચાર, ડેસ્ક સુરત શહેરનાં પુણાગામ વિસ્તારમાં આવેલી ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં આગ લાગતા અંદર રહેલા બે લોકો ગૂંગળામળને કારણે મૃત્યું પામ્યા છે. જ્યારે અન્ય બે લોકો આગની ઝપેટમાં આવતા ઇજાગ્રસ્ત થયા છે. હાલ આ બંન્ને ઇજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. હાલ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો છે. સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી ભાગ્યોદય
 
સુરતઃ કારખાનામાં ભયાનક આગ લાગતાં 2 કર્મચારીઓના કરૂણ મોત

અટલ સમાચાર, ડેસ્ક

સુરત શહેરનાં પુણાગામ વિસ્તારમાં આવેલી ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં આગ લાગતા અંદર રહેલા બે લોકો ગૂંગળામળને કારણે મૃત્યું પામ્યા છે. જ્યારે અન્ય બે લોકો આગની ઝપેટમાં આવતા ઇજાગ્રસ્ત થયા છે. હાલ આ બંન્ને ઇજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. હાલ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો છે.

સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી ભાગ્યોદય ઈન્ડસ્ટ્રીમાં આવેલા રામદેવ ડેકોમાં રાત્રિના સમયે ચાર જેટલા કારીગરો કારખાનાની અંદર સૂઈ રહ્યા હતા. આ દરમિયાન એકાએક કારખાનામાં આગ લાગી હતી. આવામાં ભાગદોડનો માહોલ છવાઈ ગયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ફાયર બ્રિગેડની ટીમ તો કારખાનામાં પહોંચી ગઈ, પરંતુ કારખાનાને બહારથી તાળું માર્યું હોવાનું દેખાયું હતું. આ કારણે ફાયર કર્મચારીઓ સૌથી પહેલા લોખડની ગ્રીલ અને તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા. અંદર જઈને જોયુ તો કર્મચારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા, કારણ કે કારખાનામાં કર્મચારીઓ હતા. અંદર બે કારીગરો ઇજાગ્રસ્ત જણાતા તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યારે અન્ય બે ધુમાડાના કારણે ગુગળાઈ જતા બેભાન અવસ્થામાં મળ્યા હતા. જેઓને પણ 108 મારફતે હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. અંદાજીત 8 જેટલી ફાયરની ગાડી આગ ઓલવવામાં ઉપયોગમાં લેવાઈ હતી. હાલ આગ ક્યાં કારણોસર લાગી તે જાણી શકાયું નથી.